અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા: સીબીઆઈએ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી, મુખ્યમંત્રીના વકીલે કરી આ દલીલ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29062024_113458_Kejriwal 22.webp)
- 29 Jun, 2024
દિલ્હી લીકર પોલીસી કેસમાં સીબીઆઈએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાની માંગ કરી છે. સીબીઆઈનું કહેવું છે કે આરોપી કે કોર્ટના તપાસ અધિકારી કેસ ડાયરી માંગી શકે છે. કોર્ટ માત્ર કેસ ડાયરીને જોઈ શકે છે. આ બાધી બાબત અગાઉ કોર્ટ સમક્ષ રજૂ થઈ ગઈ છે. વધુમાં કેજરીવાલના વકીલે કહ્યું કે અમે જ્યુડિશિયલ કસ્ટડીની માંગની વિરુદ્ધ પણ અરજી દાખલ કરવા માંગીએ છીએ.
આ અંગે જજે કેજરીવાલને પૂછ્યું કે તમે શાં માટે અરજી દાખલ કરવા માંગો છો. જો તમારે જામીન અરજી દાખલ કરવી જ હોય તો જે તે સંલગ્ન કોર્ટમાં જામીન અરજી દાખલ કરો. જજે કેજરીવાલના વકીલને અરજી દાખલ કરવાની પરવાનગી આપી.
મુખ્યમંત્રી કેજરીવાલના વકીલે કહ્યું કે સીબીઆઈની દલીલ છે કે એપ્રિલમાં તેમને કેટલીક પરવાનગી મળી હતી અને જાન્યુઆરીમાં તેમને મારી વિરુદ્ધ પુરવા મળ્યા હતા. CBIએ પણ કહ્યું કે તેમણે મારી ધરપકડ કરી નથી કારણ કે તેઓ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીને આગળ વધારવા માંગતા હતા. જજે કહ્યું કે પોલીસ કસ્ટડી પૂર્ણ થયા પછી કોર્ટની પાસે સીઆરપીસી મુજબ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.
જજે કહ્યું કે એ જોવાની કોર્ટની ફરજ છે કે કેસની તપાસ દરમિયાન અધિકારીએ કેવા-કેવા પગલા ભર્યા છે. જોકે આ કોર્ટ અને તપાસ અધિકારીની વચ્ચેનો મામલો છે. સીએમ કેજરીવાલના વકીલે માંગ કરી કે કોર્ટે કેસ ડાયરી જોવી જોઈએ. જજે કહ્યું- કોર્ટની એ જવાબદારી બને છે કે તે એ જોવે કે તપાસ કઈ રીતે ચાલી રહી છે. જોકે તપાસ દરમિયાન શું પુરાવા મળ્યા છે, તે બધાની માહિતી આરોપીને આપવી જરૂરી નથી. એજન્સીને માત્ર કોર્ટના રિમાન્ડ માટે સંતુષ્ટ કરવી જરૂરી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આજે તેમના ત્રણ દિવસના સીબીઆઈ રિમાન્ડ પુરા થવા પર રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.